Get App

ભારત-અમેરિકા ડીલમાં ખેડૂતોના હિતો કચડાયા, રાહુલના ગંભીર આરોપ પર સરકારનો વળતો પ્રહાર, જાણો પિયુષ ગોયલે શું કહ્યું

લોકસભામાં રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ડીલ અને ખેડૂતો મુદ્દે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેના જવાબમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સહિતના નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે. વાંચો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 4:53 PM
ભારત-અમેરિકા ડીલમાં ખેડૂતોના હિતો કચડાયા, રાહુલના ગંભીર આરોપ પર સરકારનો વળતો પ્રહાર, જાણો પિયુષ ગોયલે શું કહ્યુંભારત-અમેરિકા ડીલમાં ખેડૂતોના હિતો કચડાયા, રાહુલના ગંભીર આરોપ પર સરકારનો વળતો પ્રહાર, જાણો પિયુષ ગોયલે શું કહ્યું
રાહુલ ગાંધીએ અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારત માતાને વેચી દીધી છે.

લોકસભાના સત્ર દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતો અને ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. જોકે, રાહુલના આ ગંભીર આરોપોનો જવાબ આપવા માટે ખુદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓએ મોરચો સંભાળી લીધો છે અને દેશની જનતા સમક્ષ સરકારનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.

રાહુલ ગાંધીએ શું આરોપ લગાવ્યા?

લોકસભામાં બોલતી વખતે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, "ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ડીલમાં દેશના ખેડૂતોના હિતોને કચડી નાખવામાં આવ્યા છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે આ સમજૂતી બરાબરીની શરતો પર કરવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "સરકારને શરમ આવવી જોઈએ કે તેમણે ભારત માતાને વેચી દીધી છે. જે રીતે આ ડીલમાં ખેડૂતોના હિતોનું નુકસાન થયું છે, તેવું કામ આજ દિન સુધી કોઈ વડાપ્રધાને નથી કર્યું અને ભવિષ્યમાં કોઈ કરશે પણ નહીં."

પિયુષ ગોયલે આપ્યો સણસણતો જવાબ

રાહુલ ગાંધીના આક્ષેપો બાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સરકારનો બચાવ કરતા સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, "દેશના વાણિજ્ય મંત્રી તરીકે હું સૌને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યા છે. ખેડૂતોના હિતોની સંપૂર્ણ રક્ષા કરવામાં આવી છે."

બધા સમાચાર

+ વધુુ વાંચો