VS Achuthanandan Passes Away: ભારતના સામ્યવાદી નેતાઓમાંના એક અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું સોમવારે (21 જુલાઈ) 101 વર્ષની ઉંમરે અવસાન થયું. સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ એમ.વી. ગોવિંદને સોમવારે પત્રકારોને આ માહિતી આપી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે લગભગ એક મહિના પહેલા હૃદયરોગના હુમલા બાદ તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા વરિષ્ઠ નેતાનું સોમવારે અવસાન થયું હતું.