Get App

'હું સસ્તો રાજકારણી નથી, કોણ ખાડા પાડે છે ખબર છે': નીતિન પટેલના આકરા પ્રહારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

Nitin Patel Former Deputy CM: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને વ્યવસ્થા પર આડકતરા પ્રહારો કર્યા. તેમણે 'હું સસ્તો રાજકારણી નથી' કહીને સત્તાના આંતરિક સંઘર્ષની વાત ખુલ્લી કરી, જેના પર કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા આપી. જાણો આખા નિવેદનનો સાર અને રાજકીય અસર.

MoneyControl Newsઅપડેટેડ Nov 12, 2025 પર 11:14 AM
'હું સસ્તો રાજકારણી નથી, કોણ ખાડા પાડે છે ખબર છે': નીતિન પટેલના આકરા પ્રહારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો'હું સસ્તો રાજકારણી નથી, કોણ ખાડા પાડે છે ખબર છે': નીતિન પટેલના આકરા પ્રહારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્ફોટક નિવેદનો, ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર

Gujarat Politics: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મંચ પરથી નીતિન પટેલે પોતાની જ પાર્ટીના ધારાસભ્યો, મંત્રીમંડળ અને વર્તમાન વ્યવસ્થા પર સીધા આક્ષેપો કર્યા હતા. તેમના આ આકરા પ્રહારોથી રાજ્યના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે.

કડીના રાજકારણ પર સ્પષ્ટ નિવેદન

નીતિન પટેલે કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું." આ નિવેદન સ્થાનિક નેતૃત્વ પરના તેમના અસંતોષને છતો કરે છે. કાર્યકરો અને નેતાઓને સંબોધતા તેમણે પોતાના અનુભવનો હવાલો આપીને કહ્યું કે, "કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે." આ સાથે જ તેમણે કાર્યકરોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, "મને છેતરતા નહીં, એમને છેતરજો."

ગ્રાન્ટ, ભ્રષ્ટાચાર અને પોતાનું મહત્ત્વ

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ગ્રાન્ટ અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, "અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક... બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે." નીતિન પટેલે હોદ્દા કરતાં વ્યક્તિગત મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે "હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે." આ નિવેદન દ્વારા તેમણે પોતાનું રાજકીય કદ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી ચર્ચાસ્પદ નિવેદન આપતાં તેમણે ઉમેર્યું હતું કે, "હું સસ્તો કે મફતિયો રાજકારણી નથી."

મંત્રીમંડળ અને આંતરિક સંઘર્ષ પર કટાક્ષ

નીતિન પટેલ અહીં અટક્યા ન હતા. તેમણે મંત્રીઓના રાજીનામા અને મંત્રીમંડળમાંથી પોતાની બાદબાકી પર પણ આડકતરો કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, "હમણાં બે-ત્રણ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા. એમના ટેકેદારોમાંથી બે-પાંચ જણાએ ખોટું કર્યું હોઈ શકે... એટલે એમને (મને) મંત્રીમંડળમાં ના લીધા." તેમણે પોતાની નારાજગી સ્પષ્ટ કરતાં કહ્યું કે, "હું બોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે." જોકે, તેમણે કડીના લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, "કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં."

બધા સમાચાર

+ વધુુ વાંચો