પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી અને તેમના રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરી, તેમને પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી. આ પહેલાં ગૃહ મંત્રાલયે રાજ્યોના મુખ્ય સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.