ભારતના ન્યાયતંત્રમાં ઐતિહાસિક દિવસે, જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂએ જસ્ટિસ ગવઈને શપથ લેવડાવ્યા. આ સાથે, તેઓ સુપ્રીમ કોર્ટના નેતૃત્વની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળનાર નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા. જસ્ટિસ ગવઈ 23 નવેમ્બર, 2025 સુધી આ પદ પર રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિની વયમર્યાદા 65 વર્ષ છે.