India-Russia relations: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે (સ્થાનિક સમય) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમને એક બુદ્ધિશાળી નેતા તરીકે ગણાવ્યા. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવવાના છે. આ યાત્રા બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે તેવી અપેક્ષા છે.