Lok Sabha Polls 2024: ઇનર મણિપુર લોકસભા મતવિસ્તારમાં 11 મતદાન મથકો પર 22 એપ્રિલે પુનઃ મતદાન યોજાશે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ જાહેરાત કરી છે. આ નિર્ણય ચૂંટણી પંચના નિર્દેશો પર આવ્યો છે, જેણે આ મતદાન મથકો પર 19 એપ્રિલે યોજાયેલા મતદાનને અમાન્ય જાહેર કરવા અને નવેસરથી મતદાન કરાવવાનું કહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે જે મતદાન મથકો પર ફરીથી મતદાન કરવામાં આવશે તેમાં ખુરાઈ મતવિસ્તારના મોઈરાંગકમ્પુ સાઝેબ અને થોંગમ લીકાઈ, ક્ષેત્રીગાવમાં 4, ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના થોંગજુમાં 1, ઉરીપોકમાં 3 અને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોંથૌજામનો સમાવેશ થાય છે.