ભારતના અનેક મોટા બેંકોએ સેવિંગ્સ એકાઉન્ટમાં 'મિનિમમ બેલેન્સ' જાળવવાની ફરજિયાત શરત હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બેંકોએ મિનિમમ બેલેન્સ પર દંડ લગાવીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ હવે આ નિયમ હટાવવાનો નિર્ણય ગ્રાહકો માટે રાહતદાયક છે.