પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં "ઓપરેશન સિંદૂર" અંગે સ્પષ્ટ અને કડક વલણ અપનાવતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે આગામી જનસંપર્ક અભિયાનની દિશા નક્કી કરી દીધી છે. આ જાહેરાતના પગલે, ભાજપ આજથી, 13 મેથી 23 મે દરમિયાન, દેશવ્યાપી 'તિરંગા યાત્રા'નું આયોજન કરી રહી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ઓપરેશન સિંદૂરની સફળતા, ભારતીય સેનાની વીરતા અને મોદી સરકારના "મજબૂત અને સુરક્ષિત ભારત" ના સંકલ્પને આમજનતા સુધી પહોંચાડવાનો છે.