કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે આગામી જનગણનામાં ‘સરના’ ધર્મને એક અલગ વિકલ્પ તરીકે સામેલ કરવો જોઈએ. આનાથી ‘સરના’ ધર્મમાં આસ્થા રાખનારા લોકો પોતાના ધર્મની ઓળખ સરળતાથી જણાવી શકશે. ઝારખંડના રાજધાની રાંચીમાં ‘સંવિધાન બચાઓ રેલી’ને સંબોધતા ખડગેએ આ માગ ઉઠાવી હતી. તેમણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ આ માટે પ્રયાસો કરવા અપીલ કરી.