PMAY Urban 2.0: શહેરોમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 (PMAY-Urban 2.0) અંતર્ગત વધુ 1.41 લાખ ઘરોના બાંધકામને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે આ યોજના હેઠળ કુલ મંજૂર થયેલા આવાસોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ છે.

