Gujarat Republic Day tableau: દેશ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયાર છે. દિલ્હીમાં યોજાનારી મુખ્ય પરેડમાં ગુજરાતની એક ઝાંખી પણ દર્શાવવામાં આવશે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર 'ગુજરાત: આનર્તપુરથી એકતા નગર - વારસો તેમજ વિકાસ' થીમ પર આધારિત એક ઝાંખી રજૂ કરવામાં આવશે. ગુજરાતના ટેબ્લોમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના 'કીર્તિ તોરણ'થી લઈને 21મી સદીના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીના રાજ્યના સાંસ્કૃતિક વારસા તેમજ સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની 'આત્મનિર્ભરતા' દર્શાવવામાં છે. પ્રદર્શનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યા છે.