શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ બાંગ્લાદેશ કટ્ટરવાદીઓનો ગઢ બની ગયો હતો. પહેલા તો કેટલાય દિવસો સુધી હિંદુઓ વિરુદ્ધ ભારે હિંસા થઈ, પછી દુર્ગા પૂજા માટે 'જિઝિયા ટેક્સ', નમાઝ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ બંધ રાખવા જેવી સૂચનાઓ લાદવામાં આવી. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ આનો વિરોધ થયો હતો. આખી દુનિયામાં તેની મજાક ઉડાવવામાં આવ્યા બાદ હવે આખરે બાંગ્લાદેશ સરકાર હોશમાં આવી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં મોહમ્મદ યુનુસની સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. આ સાથે તેમણે પોતે પણ દેશવાસીઓને દુર્ગા પૂજાની શુભેચ્છા પાઠવી છે.

