Get App

IRCTCના મુસાફરો માટે મોટા સમાચાર: જનરલ ટિકિટ બુકિંગમાં નવો નિયમ, આધાર વેરિફિકેશન ફરજિયાત

ભારતીય રેલવેનો નવો નિયમ: ઓક્ટોમ્બર 2025થી જનરલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત. IRCTC દ્વારા ટિકિટ બુકિંગને સરળ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ. વધુ જાણો!

MoneyControl Newsઅપડેટેડ Sep 17, 2025 પર 2:54 PM
IRCTCના મુસાફરો માટે મોટા સમાચાર: જનરલ ટિકિટ બુકિંગમાં નવો નિયમ, આધાર વેરિફિકેશન ફરજિયાતIRCTCના મુસાફરો માટે મોટા સમાચાર: જનરલ ટિકિટ બુકિંગમાં નવો નિયમ, આધાર વેરિફિકેશન ફરજિયાત
ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પર જનરલ રિઝર્વેશનનું સમયપત્રક યથાવત રહેશે.

Railway Ticket Booking Rules: ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર લઈને આવી છે. ઓક્ટોમ્બર 2025થી IRCTC દ્વારા જનરલ કેટેગરીની ટિકિટ બુકિંગ માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ, રિઝર્વેશન ખુલે તેના 15 મિનિટ પહેલાં આધાર વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. આ પગલું ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવ્યું છે, જેથી ખરા મુસાફરોને જ ટિકિટ મળે અને એજન્ટોની મોનોપોલી ખતમ થાય.

જનરલ ટિકિટ માટે આધાર વેરિફિકેશનની જરૂરિયાત

રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ નવો નિયમ જનરલ કેટેગરીના રિઝર્વેશન પર તાત્કાલિક અસરથી લાગુ થશે. અગાઉ તત્કાલ ટિકિટ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત હતું, અને હવે આ નિયમ જનરલ ટિકિટો પર પણ લાગુ કરાયો છે. આનાથી ટિકિટ બુકિંગમાં અનધિકૃત એજન્ટોની ગેરરીતિઓ રોકવામાં મદદ મળશે. રેલવેનું કહેવું છે કે આ પગલું ખાસ કરીને એ સુનિશ્ચિત કરવા માટે છે કે માત્ર જરૂરિયાતમંદ મુસાફરો જ રિઝર્વેશનનો લાભ લઈ શકે.

હાલના નિયમો યથાવત

ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર, કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પર જનરલ રિઝર્વેશનનું સમયપત્રક યથાવત રહેશે. આ ઉપરાંત, રજિસ્ટર્ડ રેલવે ટિકિટ એજન્ટો માટે પહેલા દિવસે ટિકિટ બુકિંગ પર 10 મિનિટનો પ્રતિબંધ પણ ચાલુ રહેશે. આ નિયમોનો હેતુ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવાનો છે.

મુસાફરો માટે શું ફાયદો?

જો તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક હશે, તો જનરલ ટિકિટ બુકિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. ટિકિટ ઝડપથી બુક થશે અને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધશે, જેનાથી વેઈટિંગ લિસ્ટની સમસ્યા ઘટશે. IRCTC વેબસાઈટ અથવા એપ પર લોગઈન કરીને "માય પ્રોફાઈલ" વિભાગમાં જઈને તમે તમારો આધાર નંબર લિંક કરી શકો છો. ખાસ ધ્યાન રાખો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ, નહીં તો OTP આવશે નહીં.

બધા સમાચાર

+ વધુુ વાંચો