Railway Ticket Booking Rules: ભારતીય રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર લઈને આવી છે. ઓક્ટોમ્બર 2025થી IRCTC દ્વારા જનરલ કેટેગરીની ટિકિટ બુકિંગ માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ, રિઝર્વેશન ખુલે તેના 15 મિનિટ પહેલાં આધાર વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. આ પગલું ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે લેવામાં આવ્યું છે, જેથી ખરા મુસાફરોને જ ટિકિટ મળે અને એજન્ટોની મોનોપોલી ખતમ થાય.