Boycott Turkey: ભારત-પાકિસ્તાન તણાવમાં તુર્કીના પાકિસ્તાન પ્રત્યેના ખુલ્લા સમર્થન બાદ ભારતની યુનિવર્સિટીઓએ તુર્કી સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. JNU અને જામિયા મિલિયા ઇસ્લામિયા બાદ હવે હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી (MANUU)એ પણ તુર્કીના યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ સાથેના તમામ એકેડેમિક કરારો તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને દેશહિતમાં લેવાયેલું મહત્ત્વનું પગલું ગણાવવામાં આવી રહ્યું છે.