India Canada Relations: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હજુ પાટા પર નથી આવ્યા. હવે કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. ગુરુવાર, 19 ઓક્ટોબરના રોજ કેનેડાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન મેલાની જોલીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેનેડા પ્રતિશોધાત્મક પગલાં લેશે નહીં. ગયા મહિને ભારતે કેનેડાને અહીં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું હતું. આ સમગ્ર મામલો 18 જૂને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ શરૂ થયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવો આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય પુરાવા છે, ત્યારે ભારતે કેનેડાને દેશમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું હતું. ભારતે નિજ્જરની હત્યામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. ભારતે નિજ્જરને આતંકવાદી તરીકે વર્ગીકૃત કર્યો હતો.

