ભારતમાં વધી રહેલા સાયબર અપરાધો પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે હવે કમર કસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ક્રિમિનલ્સની 'ઈકોસિસ્ટમ' ને જડમૂળથી ખતમ કરવા માટે તમામ સરકારી વિભાગો અને તપાસ એજન્સીઓને એક થઈને કામ કરવા માટે હાંકલ કરી છે. CBI અને I4C દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં તેમણે સાયબર ફ્રોડ રોકવા માટે એક મજબૂત રણનીતિ પર ભાર મૂક્યો હતો.

