Direct flights to India and China: ભારત સરકારે દેશની મોટી એરલાઇન્સ, એર ઇન્ડિયા અને ઇન્ડિગોને આગામી મહિને ચીન માટે ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. આ નિર્ણય 2020માં કોવિડ-19 મહામારી અને ગલવાન ઘાટીમાં સૈન્ય અથડામણને કારણે બંધ થયેલી ફ્લાઇટ્સને ફરી શરૂ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. હાલમાં, ભારતીય વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રોફેશનલ્સે સિંગાપોર, બેંકોક કે દુબઈ જેવા દેશો દ્વારા ચીનની મુસાફરી કરવી પડે છે, જે સમય અને ખર્ચાળ છે.