શ્રીલંકામાં છેલ્લા 11 દિવસથી મુશળધાર વરસાદ, પૂર અને વિનાશક ભૂસ્ખલનના કારણે વ્યાપક તબાહી મચી ગઈ છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) એ ગુરુવારે જણાવ્યું હતું કે આ આફતોને કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે લગભગ 4,000 લોકો પ્રભાવિત થયા છે.

