Ganesh Chaturthi 2023: ભગવાન ગણેશ શાણપણ અને શ્રી સિદ્ધિના દેવતા છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ બાપ્પા રહે છે. ત્યાં દરેક સમયે સુખ અને સમૃદ્ધિ રહે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેમની પૂજા કરવાથી તેઓ વધુ પ્રસન્ન થાય છે. તેમની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. આના બરાબર 10 દિવસ પછી, અનંત ચતુર્દશીના દિવસે તેનું સમાપન થાય છે. તેને ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ અથવા વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.

