Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મંદિરો, ઘરો અને વિસ્તારોમાં ગજાનનની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિની ભક્તિમાં લીન થઈ જાય છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે સમાપ્ત થશે. ગણેશ ઉત્સવ ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગણપતિ ઉત્સવની શરૂઆત કેવી રીતે થઈ હતી. ગણેશોત્સવની શરૂઆત સૌપ્રથમ કોણે કરી અને તેની પાછળનું કારણ શું હતું? આવો જાણીએ ગણેશ ઉત્સવના ઈતિહાસ વિશે.

