Adulterated Paneer: શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે લોકોપનીરનું સેવન કરે છે. બજારમાં આડેધડ વેચાતુંપનીર અસલી છે કે નકલી તે ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આ દિવસોમાં નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ લોકો પનીરનું ખૂબ જ સેવન કરતા હોય છે. પરંતુ તે વાસ્તવિક છે કે નકલી તે જાણવું જરૂરી છે. ભેળસેળનો અંદાજ બજારમાં વેચાતા પનીરના ટેક્સચરથી લઈને તેની સુગંધ સુધીની દરેક વસ્તુ પરથી લગાવી શકાય છે. ચાલો જાણીએ કે પનીરમાં ભેળસેળનો ટેસ્ટ કેવી રીતે થાય છે અને તેનાથી શરીરને શું નુકસાન થાય છે.

