Narayana Murthy Statement: ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના તેમના નિવેદન પર અડગ છે. તેમણે કહ્યું કે જો ગરીબી દૂર કરવી હોય તો વધુ કામ કરવાનો એક જ રસ્તો છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ પોતે અઠવાડિયામાં 85-90 કલાક કામ કરતા હતા, જે સમયનો વ્યય નથી. પોતાની વાતનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે ભારતીય યુવાનોએ ઓછામાં ઓછા 70 કલાક કામ કરવું જોઈએ.