Janmashtami 2023: કૃષ્ણ જન્માષ્ટમી માટે દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરોમાં શણગાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન દિલ્હીના દ્વારકાના ઈસ્કોન મંદિર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાના ઈસ્કોન મંદિર ખાતે ભક્તો માટે મેટાવર્સ એક્સપિરિયન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ભક્તો ઘરે બેઠા કાન્હાના ઓનલાઈન દર્શન કરી શકશે. જેનાથી વિશ્વભરના ભક્તો દેવી-દેવતાઓના દર્શન કરી શકશે. ભક્તો આરતીમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકે છે.

