ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે અને ચારે બાજુ હરિયાળી લાવે છે, પરંતુ આ ઋતુ પોતાની સાથે બીમારીઓનું જોખમ પણ લાવે છે. પાણીજન્ય રોગો, બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને પેટની સમસ્યાઓ આ સમયે સામાન્ય બની જાય છે. તેથી, આ ઋતુમાં શાકભાજીની પસંદગી કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. કેટલીક શાકભાજી ચોમાસામાં બેક્ટેરિયા અને ફૂગનો શિકાર બની શકે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.