નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વર્ષે, 15 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી 23 ઓક્ટોબર સુધી ચાલશે, જે દરમિયાન દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. ગુજરાતમાં નવરાત્રીનો અર્થ એટલે ગરબાની રંગીન રાત્રિઓ. આ નૃત્ય માત્ર દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનું માધ્યમ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદાઓ લઈને આવે છે. આજે અમે તમને ગરબાના આવા જ કેટલાક ખાસ ફાયદાઓ વિશે જણાવીશું, જે તમારા શરીર અને મનને ફિટ રાખવામાં મદદ કરશે.