Get App

Glaucoma Awareness Month: અંધત્વનું કારણ બની શકે છે આ બિમારી, સાવધાન શું તમારામાં તો નથી ને આવા લક્ષણ?

Glaucoma Awareness Month: આંખો એ ભગવાનની ભેટ છે, તેની મદદથી આપણે વિશ્વના સુંદર દૃશ્યો જોઈ શકીએ છીએ. જો કે, કમનસીબે ભારતમાં 4.95 મિલિયન (49.5 લાખ) થી વધુ લોકો અંધ હોવાનો અંદાજ છે, જેમાં બાળકોનો સમાવેશ થાય છે. દિનચર્યા અને આહારમાં ગરબડને કારણે સમયની સાથે તેનું જોખમ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, તમામ લોકોએ આંખોની કાળજી ગંભીરતાથી લેવી જોઈએ. આ માટે પૌષ્ટિક ખોરાકનું સેવન, આંખોને ઈજાથી બચાવવા અને દિનચર્યામાં થોડો ફેરફાર કરવો પણ જરૂરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 03, 2024 પર 4:30 PM
Glaucoma Awareness Month: અંધત્વનું કારણ બની શકે છે આ બિમારી, સાવધાન શું તમારામાં તો નથી ને આવા લક્ષણ?Glaucoma Awareness Month: અંધત્વનું કારણ બની શકે છે આ બિમારી, સાવધાન શું તમારામાં તો નથી ને આવા લક્ષણ?
Glaucoma Awareness Month: શું તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો?

Glaucoma Awareness Month: ગ્લુકોમાને વિશ્વભરમાં આંખની સમસ્યાઓ અને અંધત્વના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે. ગ્લુકોમા એ આંખના રોગોનું એક જૂથ છે જે ઓપ્ટિક નર્વ નામની ચેતાને નુકસાન પહોંચાડીને દ્રષ્ટિની ખોટ અને અંધત્વનું કારણ બની શકે છે. વર્ષનો પહેલો મહિનો, જાન્યુઆરી 'ગ્લુકોમા અવેરનેસ મંથ' તરીકે લોકોમાં ઝડપથી વધી રહેલા આ રોગ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ઉજવવામાં આવે છે.

ચાલો આ ગંભીર સમસ્યાને સરળ રીતે સમજીએ.

શું તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો?

ગ્લુકોમાનું જોખમ વધી રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, તેના લક્ષણો એટલા ધીરે ધીરે શરૂ થઈ શકે છે કે લોકો ઘણીવાર તેના પર ધ્યાન આપતા નથી. તમને ગ્લુકોમા છે કે નહીં તે શોધવાનો એકમાત્ર રસ્તો સમય સમય પર તમારી આંખોની તપાસ કરાવવાનો છે. જો કે, કેટલાક સંકેતો છે જેના પર ધ્યાન આપવાથી તમે જોખમને ઓળખી શકો છો. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.

બધા સમાચાર

+ વધુુ વાંચો