સાદી ભાષામાં કહીએ તો, ડોલો-650 બુખાર, માથાનો દુખાવો કે શરીરના દુખાવામાં તાત્કાલિક રાહત આપનારી ગોળી બની ગઈ છે. પરંતુ શું તેનો આટલો વધુ પડતો ઉપયોગ સલામત છે? અમેરિકામાં રહેતા ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પલાનિઅપ્પન મણિક્કમ (ડૉ. પાલ)ના તાજેતરના ટ્વીટે આ મુદ્દાને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “ભારતીયો ડોલો-650ને એવી રીતે લે છે જાણે તે કેડબરી જેમ્સ હોય.” આ વાત હળવી લાગે, પરંતુ તેની પાછળની હકીકત ચોંકાવનારી છે. ડોલો-650નો અંધાધૂંધ ઉપયોગ હવે ડૉક્ટરો માટે ચિંતાનો વિષય બન્યો છે.