સંધિવા એ એક રોગ છે જે પહેલા ફક્ત વૃદ્ધ લોકોમાં જ થતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, યુવાનોમાં પણ સંધિવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સામાન્ય સંધિવા કરતાં રુમેટોઈડ સંધિવા વધુ ખતરનાક માનવામાં આવે છે. તાજેતરમાં, AIIMS, દિલ્હીમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સંધિવાને યોગ દ્વારા નોંધપાત્ર રીતે કંટ્રોલ કરી શકાય છે.