National Makhana Board: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મખાના બોર્ડની સ્થાપનાનો નિર્ણય લઈને મખાના ઉદ્યોગને નવી દિશા આપવાનું પગલું ભર્યું છે. આ નિર્ણયથી ખાસ કરીને બિહારના મિથિલા વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે, જ્યાં ભારતના 80%થી વધુ મખાનાનું ઉત્પાદન થાય છે. મખાના, જેને 'સુપરફૂડ' તરીકે ઓળખવામાં આવે છે, તેના ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટિંગને વ્યવસ્થિત કરીને આ બોર્ડ ખેડૂતોની આવક વધારવા અને રોજગારની તકો ઊભી કરવા માટે કામ કરશે.