Navratri Day 2: આજે નવરાત્રિનો બીજો દિવસ છે, જે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપને સમર્પિત છે. ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપસ્યા છે, અને ‘બ્રહ્મચારિણી’ એટલે તપનું આચરણ કરનારી દેવી. આ દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા અને આરતી કરવાથી ભક્તોને તેમના કાર્યોમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે.