Odisha Train Crash: ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાના લગભગ 20 દિવસ પછી, રેલ્વેએ ગુરુવારે સાઉથ ઈસ્ટર્ન રેલવે (SER) ના પાંચ ટોચના અધિકારીઓની બદલી કરી છે, જેમાં ઓપરેશન્સ, સિગ્નલિંગ સિસ્ટમ્સ અને સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 થી વધુ લોકોના મોત થયા હતા. જોકે, રેલવેએ આ ટ્રાન્સફરને રૂટિન પ્રક્રિયા ગણાવી છે. પરંતુ આ કાર્યવાહીને લગભગ ત્રણ દાયકામાં દેશમાં સૌથી ખરાબ રેલ દુર્ઘટનાના પરિણામ તરીકે જોવામાં આવી રહી છે.

