Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બેસરન ઘાટીમાં થયેલા નિર્દય આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની હત્યા કરનાર ત્રણ આતંકવાદીઓના સ્કેચ સુરક્ષા દળોએ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. હુમલા બાદ આ આતંકવાદીઓ નજીકના ડુંગરાળ જંગલોમાં નાસી છૂટ્યા હોવાનું માનવામાં આવે છે. તેમને પકડવા માટે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.