Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના જીવ ગયા. આ હુમલામાં ઉત્તર પ્રદેશના શુભમ દ્વિવેદીનું પણ મોત થયું, જેમના લગ્નને હજી બે મહિના પણ થયા નહોતા. શુભમની પત્ની એશાન્યાએ આંખોમાં આંસુ સાથે જણાવ્યું કે એક આતંકવાદીએ તેમનો ધર્મ પૂછ્યો, કલમા વાંચવા કહ્યું અને સેકન્ડોમાં જ તેની આંખો સામે પતિને ગોળી મારી દીધી. આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે.