વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'શિક્ષક દિવસની શુભેચ્છા. યુવા દિમાગને આકાર આપનારા તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ તક છે. ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને જ્ઞાન અને માર્ગદર્શન આપીને તેમના જીવનને ઘડવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.