Shardiya Navratri 2023: માઈભક્તો જેની વર્ષથી રાહ જોઇ રહ્યા હતા તે નવરાત્રીની શરૂઆત થઈ છે. વર્ષમાં 2 મુખ્ય નવરાત્રી આવે છે ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનું ઘણું મહત્વ છે પરંતુ શારદીય નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગરબા-દાંડિયાનું પણ અનેરું મહત્વ છે. તેથી આ નવરાત્રી ખાસ બની રહે છે. નવરાત્રીમાં માતાજીની ઉપાસનાનું મહાત્મ્ય હોય છે. ભક્તો માતાજીની આરતી કરી ગરબા રમી નવરાત્રી માણતા હોય છે. ભક્તો ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીની નવ દિવસ પૂજા પણ કરે છે. આવો જાણીએ મા દુર્ગાની પૂજા વિધિ, કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત.

