દેશ અને દુનિયામાં ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, તંદુરસ્ત આહાર અને તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ અપનાવવી મહત્વપૂર્ણ છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે શરીરને એક્ટિવ રાખવું અને બ્લડ સુગરને કંટ્રોલ કરતી દવાઓ લેવી જરૂરી છે. જો ડાયાબિટીસને કાબૂમાં ન રાખવામાં આવે તો અનેક રોગોનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાએ એલી લિલીની ટિર્ઝેપેટાઈડ દવાને મંજૂરી આપી છે જેનો ઉપયોગ ટાઇપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કરવામાં આવશે. આ દવા ભારતમાં 2025 સુધીમાં ઉપલબ્ધ થશે.

