વૈજ્ઞાનિકો કાવ્યાત્મક શૈલીમાં કહે છે કે ધરતીને તાવ ચઢી ગયો છે. એટલે કે, તાપમાન 1850-1900ની ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની સરેરાશની સરખામણીએ 1.5થી 2 ડિગ્રી સેલ્સિયસની સીમા વટાવવાની નજીક પહોંચી ગયું છે. આ લોકોને ગરમીથી થતી મુશ્કેલીઓ અને જળવાયુ પરિવર્તનના જોખમો તરફ ધકેલી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તાપમાનમાં વધારો માનવીય પ્રવૃત્તિઓથી થતા હવામાન પરિવર્તનને કારણે થઈ રહ્યો છે, જેને હાલમાં અલ નીનો અસ્થાયી રૂપે હવા આપી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ધરતીના આ તાવ પાછળ કોણ છે? સમુદ્રોમાં એવું તો શું થઈ રહ્યું છે, જેનાથી દુનિયા ગરમ થઈ રહી છે? ચાલો જાણીએ સમુદ્રની સત્યકથા.