Vande Bharat Train: જો તમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા છે તો પ્રવાસ માટે વંદે ભારત શ્રેષ્ઠ ઓપ્શન છે. સરકાર ટૂંક સમયમાં દિલ્હીથી દહેરાદૂન સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. આ ટ્રેન શરૂ થયા બાદ માત્ર 5 કલાકમાં દિલ્હીથી દહેરાદૂન જઈ શકાય છે. આ ટ્રેનના રવાના થયા બાદ ઉત્તરાખંડના ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી પહોંચવામાં સરળતા રહેશે.

