ભારતે ગરીબી નાબૂદીના મોરચે ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. વર્લ્ડ બેન્કના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 2011-12થી 2022-23ના સમયગાળામાં દેશમાંથી 26.9 કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા છે. અત્યંત ગરીબીનો દર 27.1%થી ઘટીને માત્ર 5.3% થયો છે. આ સિદ્ધિમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોનું મહત્વનું યોગદાન રહ્યું છે.