Air India, international flights: ટાટા ગ્રૂપની નેતૃત્વ હેઠળની એર ઇન્ડિયા એરલાઇન્સે જાહેરાત કરી છે કે તે 1 ઓક્ટોબર, 2025થી તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરશે. આ નિર્ણય 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા ગંભીર વિમાન દુર્ઘટનાને પગલે લેવામાં આવ્યો છે, જેમાં ફ્લાઇટ AI171 ટેકઓફ બાદ થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 229 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ અને 19 જમીન પરના લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને ભારતના ઉડ્ડયન ઇતિહાસની સૌથી ઘાતક દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.