Amarnath Yatra: 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 1,477 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો હતો. આ સાથે જ અમરનાથ યાત્રા પર જનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા અત્યાર સુધીમાં 4.66 લાખ થઈ ગઈ છે.

