પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે કતારે ભારતનું સમર્થન કર્યું છે. કતારના અમીર શેખ તમીમ બિન હમદ આલ-થાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને આતંકવાદ સામે ભારતની લડાઈમાં પૂરો ટેકો જાહેર કર્યો. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેના પર અમીરે શોક વ્યક્ત કર્યો.