વિશ્વવિખ્યાત બ્રોકરેજ ફર્મ બર્નસ્ટાઇનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેણે આર્થિક જગતમાં ચર્ચા જગાવી છે. આ પત્રમાં બર્નસ્ટાઇને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભારત સરકાર વહેલી તકે આર્થિક સુધારા નહીં લાવે તો ભારત વિકાસની આ દોડમાં પાછળ રહી જશે. બ્રોકરેજનું કહેવું છે કે હવે માત્ર એપ્લિકેશન્સ બનાવવાથી કામ નહીં ચાલે, દેશે ટેકનોલોજી અને કૃષિ જેવા પાયાના ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો કરવા પડશે.

