બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો આંચકો લાગ્યો છે. ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોમાં ભાગેડુ જાહેર થયેલા માલ્યા સામે ભારતીય બેન્કોએ બ્રિટનની અદાલતમાં મોટી જીત હાંસલ કરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના સમૂહે માલ્યા વિરુદ્ધ દિવાળિયાપણાના આદેશને જાળવી રાખવા માટે કરેલી અપીલ જીતી લીધી છે. આ નિર્ણયથી ભારતીય બેન્કોને લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈમાં સફળતા મળી છે. બેન્કો કિંગફિશર એરલાઈન્સ પર બાકી લોનની રકમની વસૂલાત માટે બ્રિટનમાં માલ્યાની સંપત્તિઓ પરથી દાવો કરી શકશે.

