ભારત ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગ્લોબલ લેવલે પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓને ઉજાગર કરવા માટે મોટું ડિપ્લોમેટિક પગલું ભરવા જઈ રહ્યું છે. આ અંગે સર્વપક્ષીય સાંસદોના સાત ડેલિગેશન 32 દેશોની મુલાકાત લેશે અને વિશ્વ સમક્ષ પાકિસ્તાનની હકીકત રજૂ કરશે. આ પહેલાં વિદેશ સચિવ વિક્રમ મિસરી સાંસદોને બે તબક્કામાં બ્રીફિંગ આપશે. આ બ્રીફિંગનો પ્રથમ તબક્કો 20 મેના રોજ અને બીજો તબક્કો 23 મેના રોજ સંસદ ભવનમાં યોજાશે.

