India-Canada Conflict: છેલ્લા કેટલાક મહિનાઓથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભારતમાં આયોજિત G-20 સંમેલન પછી જ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નેતાની હત્યા કરવામાં આવી ત્યારે પીએમ જસ્ટિન ટ્રુડોએ આ ઘટનામાં ભારતની સંડોવણી વિશે વાત કરી હતી. જો કે ભારતે આ આરોપને સદંતર ફગાવી દીધો હતો. પરંતુ, આ મામલો ફરી ચર્ચામાં છે. અમેરિકાના ન્યાય વિભાગે નિખિલ ગુપ્તા નામના ભારતીય પર આરોપ લગાવ્યા બાદ કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે ભારતે આને ગંભીરતાથી લેવું જોઈએ.