Get App

India-Canada Conflict: અમેરિકાના આરોપ બાદ જસ્ટિન ટ્રુડોએ આલાવ્યો જૂનો રાગ, કહ્યું- ‘અમે તો પહેલા જ કહેતા હતા'

India-Canada Conflict: અમેરિકાના ન્યાય વિભાગે નિખિલ ગુપ્તા નામના ભારતીય પર આરોપ લગાવ્યા બાદ કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે ભારતે આને ગંભીરતાથી લેવું જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Nov 30, 2023 પર 11:45 AM
India-Canada Conflict: અમેરિકાના આરોપ બાદ જસ્ટિન ટ્રુડોએ આલાવ્યો જૂનો રાગ, કહ્યું- ‘અમે તો પહેલા જ કહેતા હતા'India-Canada Conflict: અમેરિકાના આરોપ બાદ જસ્ટિન ટ્રુડોએ આલાવ્યો જૂનો રાગ, કહ્યું- ‘અમે તો પહેલા જ કહેતા હતા'
India-Canada Conflict: ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર'

India-Canada Conflict: છેલ્લા કેટલાક મહિનાઓથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભારતમાં આયોજિત G-20 સંમેલન પછી જ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નેતાની હત્યા કરવામાં આવી ત્યારે પીએમ જસ્ટિન ટ્રુડોએ આ ઘટનામાં ભારતની સંડોવણી વિશે વાત કરી હતી. જો કે ભારતે આ આરોપને સદંતર ફગાવી દીધો હતો. પરંતુ, આ મામલો ફરી ચર્ચામાં છે. અમેરિકાના ન્યાય વિભાગે નિખિલ ગુપ્તા નામના ભારતીય પર આરોપ લગાવ્યા બાદ કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે ભારતે આને ગંભીરતાથી લેવું જોઈએ.

‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર'

મીડિયા એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, જસ્ટિન ટ્રુડોએ ઓટાવામાં કહ્યું છે કે અમેરિકાથી આવી રહેલા સમાચાર એ વાતને વધુ રેખાંકિત કરે છે કે આપણે શરૂઆતથી જેની વાત કરી રહ્યા છીએ, એટલે કે ભારતે આને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે આના બોટમમાં પહોંચીએ તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે અમારી સાથે કામ કરવાની જરૂર છે.

અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ

બધા સમાચાર

+ વધુુ વાંચો