Chandrayaan 3: ગયા વર્ષે ઈસરોએ 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. આ પછી, ભારતીય વૈજ્ઞાનિકોને વિશ્વભરમાંથી અભિનંદન મેસેજીસ મળ્યા. પીએમ મોદી ઈસરો સેન્ટર પણ ગયા અને ચંદ્રયાન-3 પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને મળ્યા. તે જ સમયે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું હતું. હવે આ અંગે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ 19 માર્ચે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે.

