Coronavirus Update: દેશમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,533 નવા કેસ નોંધાયા છે. આના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે દેશમાં 9355 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 53,852 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં કેરળના 16 લોકોનો સમાવેશ થાય છે. આ રીતે દેશમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 5,31,468 દર્દીઓના મોત થયા છે.

