Coronavirus Updates: ભારતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ ગયું છે. તેની ઝડપ અટકવાનું નામ નથી લઈ રહી. એક દિવસમાં 5676 નવા કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 21 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જ્યારે ગઈકાલે એટલે કે સોમવારે દેશમાં 5880 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે થોડો ઘટાડો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 37,093 થઈ ગઈ છે. કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 44,200,079 સંક્રમિત દર્દીઓ સ્વ1સ્થ થયા છે અને તેમના ઘરે ગયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 98.74 ટકા થઈ ગયો છે.

